Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

રૂપાવટીમાં મંજુબેન ભરવાડને તું ગમતી નથી કહી પતિ વીશા ઝાપડાએ લાકડીથી માર માર્યો

૧૬ વર્ષનો દિકરો અકસ્માતમાં મૃત્યુ પામ્યા પછી ત્રાસ વધી ગયો

રાજકોટ તા. ૨૯: પડધરીના રૂપાવટી ગામે રહેતી મંજુબેન વીશાભાઇ ઝાપડા (ઉ.૩૫) નામની ભરવાડ મહિલાને પતિ વિશા ઝાપડાએ પરમ દિવસે ઝઘડો કરી લાકડી-ઢીકાપાટુનો માર મારતાં તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

મંજુબેનના લગ્ન સોળ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક દિકરી ૧૩ વર્ષની છે. જ્યારે ૧૫ વર્ષના દિકરાનું એક વર્ષ પહેલા અકસ્માતમાં મૃત્યુ થયું છે. પતિ ખેતી કરી ગુજરાન ચલાવે છે. મંજુબેનના માવતર ખડધોરાજી રહે છે. કાકા બચુભાઇ કરસનભાઇ માટીયાએ જણાવ્યું હતું કે મંજુબેનનો એક દિકરો મૃત્યુ પામ્યો છે અને ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરી નાંખ્યું હોઇ હવે બીજુ સંતાન થઇ શકે તેમ ન હોવાથી પતિ તરફથી ગમતી નથી કહી ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. પરમ દિવસે તેણે માર મારતાં તેણી માવતરે આવી ગઇ હતી અને સારવાર માટે દાખલ કરી પોલીસને જાણ કરી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.

શ્રીનાથગઢમાં સગુબેન પર પતિનો છરીથી હુમલો

બીજા બનાવમાં કાલાવડ રોડ પર સાસરૂ ધરાવતી સગુબેન અશ્વિન મકવાણા કઉ.૨૫) નામની દેવીપૂજક પરિણીતા ગોંડલના શ્રીનાથગઢ ગામે તેના પિતા ગોવિંદભાઇ ગોપાલભાઇના ઘરે હતી ત્યારે પતિ અશ્વિન લાભુભાઇએ ત્યાં આવી ઝઘડો કરી છરીથી હાથે-પગે ઇજા કરતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. આ અંગે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. (૧૪.૫)

(12:08 pm IST)