Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

શરણેશ્વર મંદિરે વિશિષ્ટ શ્રાવણી શણગાર દર્શન

રાજકોટઃ શ્રી આદ્યશકિત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શરણેશ્વર શિવ મંદિર દોશી હોસ્પીટલ પાસે શિવનગરમાં શ્રાવણી માસ અવસરે દરરોજ મહાદેવને શણગાર, અભિષેક, પુજા તેમજ દર સોમવારે અમરનાથ ગુફા, બાર જયોર્તીલીંગ સહીત વિશિષ્ટ શણગારના આયોજન થાય છે. દર્શન કરવા શિવભકતો ઉમટી પડે છે. દર્શન આયોજન માટે પુજારીશ્રી બાલુ મહારાજના માર્ગદર્શન હેઠળ મુકેશભાઇ, ઘનશ્યામભાઇ, રમેશભાઇ ચિત્ર આર્ટીસ્ટ ભુપેન્દ્રભાઇ ખરાદી તેમજ નવ યુવક મંડળના કાર્તિક, કામજીત, ઉમંગ, રૂદ્ર, શુભમ, મીત અને શ્યામ સહીત યુવાનો જહેમત ઉઠાવી રહેલ છે. આગામી અમાસના રોજ અમરનાથ શ્રૃંગાર દર્શન રાખેલ છે. શરણેશ્વર મહાદેવને સોમનાથનો શણગાર તથા પુજનની તસ્વીરો.

(3:59 pm IST)