Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

કસ્તુરબાધામ ત્રંબામાં ઠેર-ઠેર ગંદકીઃ રોગચાળાની ભીતી

રાજકોટઃ ત્રંબામાં છેલ્લા કેટલાક દિવસોથી ગંદકીના ગંજ ખડાકાયા છે. આ કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. ત્રંબાથી જી. એન. જાદવના જણાવ્યા મુજબ  ગામના અનેક વિસ્તારમાં ગંદકી ગંદકીએ ઘર કર્યુ છે. એક તરફ સ્વચ્છતા અભિયાનની વાતો ચાલે છે અને બીજી તરફ કસ્તુરબાધામ ત્રંબામાં ઠેર-ઠેર ગંદકીના ઢગલા ખડકાયેલા દેખાય છે. આ કારણે લોકોને ફરજીયાત ગંદકીમાંથી ચાલવું પડે છે. શાળાએ જતાં ભુલકાઓ પણ આવા ગંદા રસ્તા પરથી ચાલવા મજબુર થાય છે. સંબંધીતો તાકીદે યોગ્ય કરે તે ગ્રામજનોના હિતમાં ગણાશે. (૧૪.૬)

 

(11:50 am IST)