Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

બાજ મહાકુંભના સફળ આયોજન માટે કથાકાર શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટનું સન્માન

રાજકોટઃ રાજકોટમાં તાજેતરમાં સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ પરિવાર દ્વારા ગોપાલ ચોક ખાતે શિવજી મહાદેવના અધ્યક્ષ સ્થાને બાજ મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. આ તકે આયોજીત શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહના વ્યાસાસને રાણસીકીના કથાકાર કૌશિકભાઈ ભટ્ટ બિરાજી કથાનું રસપાન સંગીતમય શૈલીમાં કરાવ્યું હતું. આ સુંદર આયોજન બદલ બાજ મહાકુંભના કાર્યકર્તાઓ રાણસીકી ખાતે શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટને તેમના નિવાસ સ્થાને શિવજીની મૂર્તિ અને સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા હતા. બાજ મહાકુંભના કાર્યકરોએ કૌશિકભાઈ ભટ્ટના પિતાશ્રી શાસ્ત્રી ગીરજાશંકરભાઈ ભટ્ટના આશિર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા. આ તકે લલિતભાઈ દવે, કૌશિકભાઈ દવે, હિતેશભાઈ વ્યાસ, જીજ્ઞેશભાઈ દવે, દિવ્યેનભાઈ દવે, પ્રણવભાઈ દવે, બિપીનભાઈ ડણાક, નિશાંતભાઈ દવે, નયનભાઈ દવે સહિતના ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.

(4:10 pm IST)