Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

અસરગ્રસ્તો માટે ૧ લાખ અર્પણ

તાઉતે વાવાઝોડાએ સોમનાથ, સુત્રાપાડા, ઉના પંથકમાં વેરેલા વિનાશ સામે અસરગ્રસ્તોને મદદ માટે આર.એસ.એસ. સેવા ભારતીના સ્વયંસેવકો બનતી મદદ કરી રહ્યા છે. ત્યારે આ સેવાયજ્ઞમાં સહયોગી બનવા આર્ય વિદ્યામંદિર મુંજકાના પૂ. પરમાત્માનંદજી મહારાજ દ્વારા રૂ. ૧ લાખનો ચેક સેવા ભારતી રાજકોટ વિભાગના સંઘ ચાલક ડો. સંજીવભાઇ ઓઝાને અર્પણ કરવામાં આવ્યો હતો. તે સમયની તસ્વીરમાં તેમની સાથે ડો. નવલભાઇ શીલુ પણ નજરે પડે છે.

(3:17 pm IST)