Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

નિજાનંદ પરિવારના સભ્યો બુધવારે આનંદ માણશેઃ સંગીત સંધ્યાનો કાર્યક્રમ

રાજકોટ,તા.૨૯: નિજાનંદ પરિવાર દ્વારા તા.૧ને બુધવારે રાત્રે ૮:૩૦ કલાકે હેમુગઢવી મિની હોલ ખાતે સંગીતપ્રેમી જનતા માટે સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાનો શ્રી સંદિપ સિંઘ (આઈજી- રાજકોટ), શ્રી મનોજ અગ્રવાલ (પોલીસ કમિશ્નર), શ્રી મૌલેશભાઈ પટેલ (બાન લેબ), શ્રી સ્મિતભાઈ પટેલ (કલાસિક નેટવર્ક), શ્રી મહેન્દ્રભાઈ ફળદુ (કલબ યુપી), શ્રી વી.વી.પી.વૈશ્નવ (રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ.) તેમજ ડો.રાજેશ તૈલી, ડો.રાજેન્દ્ર ત્રિવેદી, ડો.જનક ઠકકર, ડો.હાપાણી દંપતિ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં નિજાનંદ પરિવારનાં તમામ સભ્યો પોતાનાં સ્વરથી લોકોનાં દિલ ડોલાવશે. કાર્યક્રમનું સંચાલન દિપકભાઈ ત્રિવેદી કરશે તેમજ સત્યેન્દ્ર તિવારી, નરેન્દ્ર ઝીબા, વિપુલ પરમાર, હર્ષદ ગોહીલ, અનિલ ગુપ્તાજી, સુરેન્દ્ર ગુપ્તાજી, અભય અંજારીયા, સંજય ટાંક તેમજ તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. તસ્વીરમા઼ં સર્વશ્રી સત્યેન્દ્ર તિવારી, બીપીનભાઈ ધુલેસીયા, સંજયભાઈ ટાંક, વિજયભાઈ ચંદારાણા અને વિપુલ પરમાર નજરે પડે છે. વધુ વિગતો માટે મો.૯૮૯૮૩ ૫૬૫૭૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:55 pm IST)