Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

આસામના કામાખ્યા મંદિરે જૂનમાં અંબુવાસી મેળોઃ ભૂદેવોની ટીમ જશે

રાજકોટ, તા. ૨૯ : દેશમાં આસામમાં આવેલુ સુપ્રસિદ્ધ શ્રી કામાખ્યા મંદિરે તા.૨૨ થી ૨૬ જૂન સુધી કામ્ય યોગ એટલે અંબુવાસી મેળો યોજાય છે. કામાખ્યા માતાજીના દર્શન અને ઉપાસના માટે ભાઈ - બહેનો સેંકડોની સંખ્યામાં લાભ લેતા હોય છે.

શાસ્ત્રી વિજયભાઈ વ્યાસ (જસદણવાળા)ની યાદીમાં જણાવે છે કે રેલ્વે કે પ્લેનનું બુકીંગ કરાવી લેવું હિતાવહ છે. એક ટ્રેન ઓખા ગુવાહાટી દર શુક્રવારે અને બીજી ગાંધીધામ કામાખ્યા જે દર શનિવારે જાય છે.

આ વર્ષે શાસ્ત્રી વિજયભાઈ વ્યાસ (મો.૯૪૨૬૨ ૮૯૦૩૫)ની સાથે ૨૫ બ્રાહ્મણોની ટીમ પણ ખાસ માતાજીની ઉપાસના માટે જવાના હોવાનું અંતમાં જણાવાયું છે.

(3:52 pm IST)