Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

ગાંધીગ્રામ અક્ષરનગરમાં પતિના બાઇક પાછળથી પડી જતાં સવિતાબેનનું મોત

વાલ્મિકી મહિલા દવા લેવા બંજરંગવાડીમાં જવા નીકળ્યા ને બનાવ બન્યોઃ પરિવારમાં કલ્પાંતઃ બીજા બનાવમાં બેભાન હાલતમાં દ્રૌપદીબેન ધનાણીનું મોત

રાજકોટ તા. ૨૯: ગાંધીગ્રામ અક્ષરનગર-૩/૪ના ખુણે રહેતાં સવિતાબેન શામજીભાઇ માંડવીયા (ઉ.૫૧) નામના વાલ્મિકી મહિલા સવારે પતિ શામજીભાઇના બાઇક પાછળથી પડી જતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ સવિતાબેનને બ્લડપ્રેશર અને ગેસની દવા લેવાની હોઇ તેઓ પતિના બાઇક પાછળ બેસી ઘરેથી બજરંગવાડીમાં દવા લેવા જવા નીકળ્યા હતાં ત્યારે ઘર નજીક જ રોડ પર બાઇક પાછળથી પડી જતાં બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. તેઓ સફાઇ કામદાર હતાં અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં એરપોર્ટ રોડ પર યોગેશ્વર સોસાયટી બી-૧૧માં રહેતાં દ્રૌપદીબેન આશુકમલ ધનાણી (ઉ.૬૨) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે તેમને નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. બંને બનાવમાં ગાંધીગ્રામના એએસઆઇ જયસુખભાઇ હુંબલે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:38 pm IST)