Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

ઇવીએમથી નહિં બેલેટ પેપરથી જ મતદાન કરાવોની માંગ સાથે કાલે ધરણા-જેલ ભરો

રાજકોટ તા. ૨૯: ઇવીએમથી નહિં પણ બેલેટ પેપરથી જ મતદાન કરાવવાી માંગ સાથે બહુજન ક્રાંતિ મોરચા દ્વારા આવતીકાલે ધરણા, પ્રદર્શન, આવેદન તથા જેલભરો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

બહુજન ક્રાંતિ મોરચા આયોજીત સંવિધાન બચાવો, લોકતંત્રત બચાવો અભિયાનના ભાગરૂપે દેશવ્યાપી જેલભરો આંદોલનનું પ્રથમ ચરણના ભાગરૂપે તા.૩૦ના મંગળવારે જિલ્લા સ્તર પર જેલ આંદોલન, ડો. આંબેડકર સ્ટેચ્યુ, હોસ્પિટલ રોડ, રાજકોટ ખાતે ૧૧થી ૬ ધરણા પ્રદર્શન અને આવેદન તથા જેલભરો કાર્યક્રમનું આયોજન દેશવ્યાપી રાખવામાં આવેલ છે. જેમાં રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરના જુદા-જુદા સંગઠ્ઠનો-મંડળો દ્વારા ઇવીએમના વિરોધમાં કાર્યક્રમ રાખેલ હોવાનું જણાવાયું છે.

આયોજનમાં દિલીપભાઇ સિંગરખિયા (બાજ એન્જીનીયર એસોસિએશન, જિલ્લા યુનિટ, રાજકોટ/), યુવા ભીમ સેનાના ડી.ડી. સોલંકી, નવસર્જન ટ્રસ્ટ-ડાયાભાઇ દાફડા, એચ.ડી. પરમાર-સંયોજક, ભુપત મકવાણા, રાજ ગૃહ સર્વ જ્ઞાતિ સેવા શકિત-મુકેશભાઇ રાજપરા વિંછીયા, અધ્યક્ષ-બહુજન ક્રાંતિ મોરચા, ગુજરાત રાજ્ય, નરેશ પરમાર જોડાયા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:34 pm IST)