Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

ચામુંડા સોસાયટીમાં કોળી યુવાન સંજયનો ગળાફાંસો ખાઇ આપઘાત

બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં: પિયરે ગયેલી પત્નિએ ફોન જોડ્યો, રિસિવ ન થતાં ઘરે આવી તપાસ કરતાં પતિ લટકતા મળ્યા!

રાજકોટ તા. ૨૯: કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમથી આગળ આવેલી ચામુંડા સોસાયટી-૨માં રહેતાં સંજય અમરશીભાઇ જીડીયા (ઉ.૩૫) નામના કોળી યુવાને સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

બનાવની જાણ ૧૦૮ના ઇએમટી ડો. કોમલબેને કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ ઝાલાએ જાણ કરતાં બી-ડિવીઝનના પીએસઆઇ આર. એસ. સાંકળીયા અને રાઇટર અશ્વિનભાઇ રાઠોડે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પીએસઆઇ સાંકળીયાના કહેવા મુજબ આપઘાત કરનાર સંજયભાઇ ચાર ભાઇઅને બે બહેનમાં સોૈથી નાના હતાં. તેના લગ્ન બે વર્ષ પહેલા થયા હતાં. પત્નિું નામ મીના છે અને તે દૂધસાગર રોડ પર માવતર ધરાવે છે. સંજયભાઇ ગેસના બાટલાની ડિલીવરીનું કામ કરતો હતો. તેની પત્નિ ગઇકાલે પયરે આટો મારવા ગઇ હતી અને માતા જયાબેન સાંજે મંદિરે ગયા હતાં. પત્નિ તેને ફોન કરતી હોઇ તે ફોન રિસીવ કરતો ન હોવાથી તેણીએ ઘરે આવી પાછળની બારીમાંથી તપાસ કરતાં પતિ લટકતો જોવા મળતાં કલ્પાંત કરી મુકયો હતો. આપઘાતનું કારણ બહાર આવ્યું ન હોઇ તપાસ યથાવત રાખવામાં આવી છે.

(11:43 am IST)