Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

માનવતાના યાત્રાધામની મુલાકાતથી ખૂબ જ પ્રભાવિત થયોઃપુરૂષોત્તમ પીપરીયા

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૨૯: પૂજય ગુરુદેવ શ્રી રણછોડદાસબાપુ આઇ હોસ્‍પિટલના કો-ઓર્ડીનેટર અને કાયદે આઝમ તરીકે ઓળખાતા ડો. પુરુષોત્તમ પીપરીયા સહિતની ટીમ આટકોટ હોસ્‍પિટલ મુલાકાતથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.

ડો. પુરુષોત્તમ પીપરીયા એ આટકોટ હોસ્‍પિટલની મુલાકાત દરમિયાન હોસ્‍પિટલની નોંધ બુકમાં લખ્‍યા મુજબ આટકોટ મુકામે આવેલ આંતરરાષ્ટ્રીય કક્ષાની અધતન સાધન સુવિધાથી સજ્જ શ્રી કે.ડી.પરવડીયા હોસ્‍પિટલની મુલાકાત લેવાનો અમુલ્‍ય અવસર પ્રાપ્ત થયો.માનવતાના યાત્રાધામ સ્‍વરૂપ આ હોસ્‍પિટલની સંચાલન ટીમનું સંચાલન કોર્પોરેટ ગવર્નન્‍સના સિદ્ધાંતોના પરિપેક્ષમાં થાય છે તે સરાહનીય છે.

હોસ્‍પિટલનું હાઉસકીપિંગ લાજવાબ જોવા મળ્‍યું હાઈજેનીક રસોડાની સાત્‍વીક રસોઈ માટેની વ્‍યવસ્‍થા પણ સરાહનીય છે.

સૌથી સુંદર અનુભવ આ હોસ્‍પિટલમાં દાખલ દર્દી નારાયણની પૂછપરછ કરતા તેમના સંતોષકારક અનુભવથી ખૂબ જ રાજીપો થયો હતો.

(4:29 pm IST)