Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

નમ્રતાગ્રીન ફાઉન્‍ડેશન દ્વારા રવિવારે થશે વૃક્ષારોપણ

રાજકોટ તા. ૨૯ : નમ્રતાગ્રીન ફાઉન્‍ડેશન દ્વારાᅠઆવનારા રવિવારે રાજકોટ શહેરમાં કમલેશભાઈ પાટડીયા દ્વારા વૃક્ષારોપણ આયોજન કરવામાં આવેલ છે.દુનિયામાં દિવસેને દિવસે વૃક્ષો ઓછા થતા જાય છે જેથી ગ્‍લોબલ વોર્મિંગની સમસ્‍યાઓ સામે આવે છે દિવસે ને દિવસે ધરતીનું તાપમાન વધતું જોવા મળે છે. ગરમી વધતી જાય છે જેથી જેટલા વધારે વૃક્ષો હશે તેટલો વધારે ફાયદો જોવા મળશે ધરતીનું તાપમાન ઓછું થશે વરસાદી વાતાવરણ બની રહે તેવા આશયથી  નમ્રતાગ્રીન ફાઉન્‍ડેશન દ્વારા રવિવારે રાજકોટ શહેરમાં કમલેશભાઈ પાટડીયા દ્વારા વૃક્ષા રોપણ આયોજન કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે મો. ૯૮૨૪૮૪૭૪૨૧ ઉપર સંપર્ક કરી શકાશે.

(3:37 pm IST)