Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

સોજીત્રાનગર ખાતે આજથી શિવકથાનો પ્રારંભ

રાજકોટઃ કૈલાસ ગુરૂકુળ દ્વારા છીખલિયા પરિવારના પોથી યજમાન પદે તા.૨૯ થી ૬ સુધી શિવકથાનું આયોજન પાણીના ટાંકા પાસે, સોજીત્રાનગર, રૈયા રોડ ખાતે શિવકથાનો પ્રારંભ થયો છે.

કથાના વ્‍યાસસને ભૃગેશભાઈ જોષી બપોરે ૨:૩૦ થી ૫:૩૦ કથાનું રસપાન કરાવશે. સોમનાથ મંદિર, સોજીત્રા નગર તથા જસુબેન ધોળકિયા, ૪- વૈશાલીનગરથી  પોથીયાત્રા નિકળી હતી. તેમ વશરામભાઈ અંબારામભાઈ છીખલિયા તથા મંજુબેન વશરામભાઈ છીખલિયાએ જણાવેલ છે.

કથાનો હેતુ સર્વપિતૃ મોક્ષાર્થે તેમજ વૃધ્‍ધાશ્રમ, શિવાલય, ગૌશાળા, અન્‍નક્ષેત્રનું હોવાનું જણાવેલ છે.

(4:38 pm IST)