Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

કોઠારીયા વિસ્તારમાં પાણીના ધાંધિયાઃ ગૃહિણીઓમાં દેકારો

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૧૮નાં કોઠારિયા સોલવન્ટમાં આવેલ રામનગર વિસ્તારમાં ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યુ છે પરંતુ આ ટેન્કરો એકા એક બંધ થતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે ત્યારે કોઠારિયા વિસ્તારમાં પાણી પ્રશ્ન ઉકેલવા મહિલઓનું ટોળુ મ્યુ.કોર્પોરેશન કચેરીએ ઘસી આવ્યુ હતુ. આ સમસ્યા તાત્કાલીક ઉકેલવા મેયર બિનાબેન આચાર્ય અને વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાને રજૂઆત કરી હતી. તેઓએ આ પ્રશ્નનો તાત્કાલીક હલ કરવા યોગ્ય ખાત્રી આપી હતી. ઉપરોકત તસ્વીરમાં કોઠારિયા વિસ્તારનાં મહિલાઓ રજૂઆત કરતા નજરે પડે છે.

 

(3:48 pm IST)