Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ઋષી વાટીકાના રાજેશભાઇ વીઠ્ઠાનું બેભાન હાલતમાં મોત

અટીકા લાલબહાદુર સોસાયટીના માધવીબેન ઉપાધ્યાય બ્રશ કરતી વખતે બેભાનઃ મૃત્યુ

રાજકોટ તા. ૨૯: ગાંધીગ્રામ ધરમનગર પાસે ઋષીવાટીકા-૨માં રહેતાં અને નોટરી-દસ્તાવેજને લગતું કામ કરતાં રાજેશભાઇ મગનભાઇ વિઠ્ઠા (રાજગોર બ્રાહ્મણ) (ઉ.વ.૩૪) નામના યુવાન સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. મૃતક બે બહેનના એકના એક ભાઇ હતાં અને અપરિણીત હતાં.

બીજા બનાવમાં ઢેબર રોડ અટિકા સાઉથ લાલબહાદુર શાસ્ત્રી સોસાયટીમાં રહેતાં માધવીબેન હિતેષભાઇ ઉપાધ્યાય (ઉ.૪૩) સવારે ઘરે બાથરૂમમાં બ્રશ કરતી વખતે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટમલાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. તેમને સંતાનમાં બે પુત્રી છે. પતિ નોકરી કરે છે. બંને બનાવમાં હોસ્પિટલ પોલીસ ચોકીના રામસિંહભાઇ વરૂએ ગાંધીગ્રામ અને ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

(1:07 pm IST)