Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

કાલે કતલખાનાઓ બંધ રાખવાઃમ્યુનિ.કમિશ્નરનું જાહેરનામુ

રાજકોટ તા.ર૯ : આવતીકાલે તા.૩૦ જાન્યુ.ના 'ગાંધી નિર્વાણ દિન' નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છીનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં મ્યુનિ.કમિશ્નર બંછાનીધિ પાની દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.

આ અંગેના જાહેરનામામાં જણાવ્યુ હતુ કે, અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે બીપીએમસી એકટ ૧૯૪૯ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ અંતમાં જણાવ્યુ છે.

(4:48 pm IST)