Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

જામકલ્યાણપુર રાજપરાના આહિર યુવાન વીરાભાઇનું ઝેરી દવાથી મોત

રાજકોટમાં દમ તોડ્યોઃ બે પુત્રોએ પિતાનું છત્ર ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૨૯: જામકલ્યાણપુરના રાજપરા ગામના વીરાભાઇ પાલભાઇ સુવા (ઉ.૪૨) નામના આહિર યુવાન વાડીએ  અનાજમાં રાખવાની ટીકડી પી જતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં.

 

વીરાભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તે રવિારે સાંજે પાંચેક વાગ્યે વાડીએ હતાં ત્યારે ઝેરી અસર થતાં જામ ખંભાળીયા ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ વોકહાર્ટમાં ખસેડાયા હતાં. અહિ સવારે દમ તોડી દીધો હતો. સંતાનમાં બે પુત્રો છે જેણે પિતાનું છત્ર ગુમાવ્યું હતું. ગાંધીગ્રામના પી.એસ.આઇ. એચ. વી. ડાંગર અને ભગીરથસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.  બનાવથી પરિવારમાંશોક વ્યાપી ગયો હતો. પરિવારજનોએ ભુલથી દવા પી લીધાનું કહ્યું હતું. જામકલ્યાણપુર પોલીસ વધુ તપાસ કરશે. (૧૪.૫)

(12:39 pm IST)