Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ભરવાડ સમાજ સેવા કેન્દ્ર દ્વારા રકતદાન કેમ્પ

 થેલેસેમીયાગ્રસ્ત બાળકોના લાભાર્થે ભરવાડ સમાજ સેવા કેન્દ્ર તથા શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના સંયુકત ઉપક્રમે દિવાનપરા ખાતે શ્રી મચ્છુ માતાજીના સાનિધ્યમાં રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૩૦ બોટલ રકત એકત્ર થયેલ. સમગ્ર કેમ્પને સફળ બનાવવા ભીખાભાઇ પડસારીયા, રાજુભાઇ જુંજા, રણજીતભાઇ મુંધવા, બાબુભાઇ ચાવડીયા, કરણભાઇ ગમારા, દીલીપભાઇ ગમારા, છોટુભાઇ ગમારા, રામભાઇ ખીંટ, મેહુલભાઇ ગમારા, ધીરૂભાઇ મુંધવા, ગોપાલભાઇ ગોલતર, ગોપાલભાઇ સરસીયા, ઇન્દુભાઇ સરસીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. કેમ્પ દરમિયાન રાજુભાઇ ચાવડીયા અને પ્રિતેશભાઇ ચાવડીયા તરફથી જયુશ વિતરણ કરાયુ હતુ. આ પ્રસંગે કરણાભાઇ માલધારી, રાજુભાઇ ચાવડીયા, ભરતભાઇ મકવાણા, જીતુભાઇ કાટોળીયા, કલ્પેશભાઇ ગમારા, મયુરભાઇ ધ્રાંગીયા, ગોવિંદભાઇ મુંધવા, લખનભાઇ મુંધવા વગેરેએ ઉપસ્થિત રહી રકતદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

(4:03 pm IST)