Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

આર.એસ.એસ. દ્વારા આયોજીત શિબિરમાં આજે સાંજે સંચલન (રૂટમાર્ચ)

રાજકોટઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વી.વી.પી. એન્જીનિયરીંગ કોલેજના  પંટાગણમાં આયોજીત ''સમર્થ ભારત યુવા સંગમ-મહાવિદ્યાલયીન શિબિર'' માં હજારો વિદ્યાર્થીઓ ભાગ લઇ રહયા છે.

ગામેગામથી સ્વયંસેવકોમાં ૧૫૦૦ શિબિરાર્થીઓ, પ્રશિક્ષણ આપવા ૨૫૦ શિક્ષકો અને વ્યવસ્થા માટે ૨૦૦ પ્રબંધકો ભાગ લઇ રહયા છે. આજરોજ શનિવારે સાંજે ૫ વાજડી ગામે સંચલન (રૂટમાર્ચ) નિકળશે. તેમજ આવતીકાલે રવિવારે સાંજે ૪ વાગ્યાથી જાહેર કાર્યક્રમ રાખેલ હોવાનું પ્રાંત પ્રચાર પ્રમુખ શ્રી પંકજ રાવલ (મો.૭૦૮૩૭ ૧૧૯૪૯) એ જણાવ્યું છે.

(3:47 pm IST)