Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

રેલનગર વિસ્તારમાં તાત્કાલીક ધોરણે ભૂગર્ભ ગટરના પાણી નિકાલ માટે વ્યવસ્થા કરાવતા કોંગી કોર્પોરેટર

અતુલ રાજાણીએ સ્થળ પર ફાયર બ્રીગેડ-ઇજનેરોને બોલાવી કામગીરી શરૂ કરાવી

રાજકોટ તા. ર૭ :.. શહેરનાં વોર્ડ નં. ૩ માં આવેલ રેલનગર વિસ્તારમાં આજે સવારે ભુગર્ભ ગટરની લાઇન તુટતાં નર્ક સમાન ગંદકી ફેલાઇ હતી. આ દરમિયાન અહીંના કોંગ્રેસનાં કોર્પોરેટર અતુલભાઇ રાજાણીએ સ્થળ પર પહોંચી ગંદા પાણીનાં નિકાલની વ્યવસ્થા કરાવી હતી.

આ અંગે શ્રી રાજાણીએ જણાવેલ કે આજે સવરે રેલનગર વિસ્તારમાંથી પસાર થતી ભુગર્ભ ગટરની મુખ્ય પાઇપ લાઇન તુટતાં આ વિસ્તારનાં ઋષીકેસ પાર્ક સહિતની સોસાયટીઓમાં ગટરનું ગંદુ પાણી ઘુસી ગયુ હતું આ બાબતની જાણ તેઓને થતાં સ્થળ પર જઇને ફાયરબ્રીગેડ ત્થા ઇજનેરોને બોલાવીને ગંદા પાણીનાં નિકાલની વ્યવસ્થા કરાવી હતી.

(3:30 pm IST)