Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

રાજકોટ - જૂનાગઢની ભીંડી જવેલર્સ ઉપર આવકવેરાનો સર્વે

રાજકોટ, તા.૨૦ : આવકવેરા વિભાગ દ્વારા કરવસૂલાતમાં આ વર્ષે કરોડોની ઘટ આવતા આખરે એડવાન્સ ટેક્ષ વસૂલવા તરફ દોટ મૂકી છે.

રાજકોટ સોની બજાર વિસ્તાર તેમજ જૂનાગઢમાં ભીંડી જવેલર્સ ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે એડવાન્સ ટેક્ષ પેટે સર્વે હાથ ધર્યો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે એડવાન્સ ટેક્ષ પેટે અગાઉ મોરબી, રાજકોટ, મેટોડા, શાપર, પોરબંદર સહિતના ઔદ્યોગિક એકમો તેમજ બિલ્ડર ગ્રુપ ઉપર સર્વે હાથ ધરાયો હતો અને કરોડો રૂપિયાનો એડવાન્સ ટેક્ષ ભરાવવામાં આવ્યો હતો.(૩૭.૧૪)

(4:20 pm IST)