Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

દેશના વીરલાઓને ભાવાંજલી અર્પણઃ શહીદ પરીવારોને સહાયરૂપ થવા માનવ સેવા સમીતીની અપીલ

માનવ સેવા સમીતી દ્વારા શહીદોને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ ભીસ્તીવાડમાં યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં હિન્દુ-મુસ્લીમ કાર્યકરો તથા લોકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં પ્રમુખ ઇમરાનભાઇ મેણું, ઉપપ્રમુખ કમલેશભાઇ બારોટ, બશીરભાઇ જુણેજા, અનીશભાઇ લંજા, જસવીંદર સીંઘ, પુર્વ કોર્પોરેટર કરશનભાઇ વાઘેલા, મુકેશભાઇ પરમાર, પુર્વ કોર્પોરેટર જયશ્રીબેન પરમાર, સંજયભાઇ વાઘેલા, વિઠ્ઠલભાઇ વાઘેલા, લાલજીભાઇ નૈયા, અજયભાઇ પરમાર, ભારતીબેન પરમાર, અનિલભાઇ વાણી, પુજાબેન વાઘેલા, સેવકભાઇ વાઘેલા, સોનુબેન વાળા, રાહુલભાઇ ઝાલા, મુકેશભાઇ વાઘેલા, ગોવિંદભાઇ લઢેર સહીત વિસ્તારવાસીઓએ હાજરી આપી વીર જવાનોને શ્રધ્ધાંજલી પાઠવી હતી. આ તકે ઇમરાન મેણુંએ કહયું કે, હવે હદ થઇ, સમય આવ્યો છે કે આતંકવાદીઓને ભોંભીતર કરવામાં આવે. (૪.૧૦)

 

(4:10 pm IST)