Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

શુક્રવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે નિઃશુલ્ક ધ્યાન, ભકિત, ભોજનનો ત્રિવેણી સંગમ

પૂનમ-ગુરૂનાનકદેવ જયંતિ-દેવ દિવાળી નિમિતે : પૂનમની શિબિરના આયોજક તથા સંચાલક સ્વીટ્ઝરલેન્ડના સ્વામિ પ્રેમ મૂર્તિ તથા સ્વામિ સત્ય પ્રકાશઃ ગુરૂનાનક દેવ જયંતિ નિમિતે તથા ઓશો સન્યાસી ડાયાભાઇ તળાવીયાના જન્મ દિવસ નિમિતે બે જમ્બો કેક કટીંગ કરી જન્મોત્સવની ઉજવણી

રાજકોટ તા.૨૦: ઓશોના સૂત્ર ''ઉત્સવ આમાર જાતિ આનંદ આમાર ગોત્ર''ને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવો, ભજન-કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૩ વર્ષોથી રાત અને દિવસ ૨૪ કલાક ખુલ્લું રહેતું વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર અવાર નવાર ઉજવવામાં આવે છે.

આગામી તા. ૨૩ને શુક્રવારના રોજ પૂનમ-ગુરૂનાનક દેવ જયંતિ-દેવદિવાળી નિમિતે સ્વીટ્ઝરલેન્ડના સ્વામિ પ્રેમ મૂર્તિજીએ તથા ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર દ્વારા બપોરે ૩ થી રાત્રીના ૮.૩૦ દરમ્યાન ઓશો ધ્યાન શિબિર-સન્યાસ ઉત્સવ- જન્મોત્સવનું આયોજન કરેલ છે જે કાર્યક્રમ દરમ્યાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, ગુરૂનાનક દેવ જયંતિની તથા ઓશો સન્યાસી ડાયાભાઇ તળાવીયાના જન્મદિવસની એમ બે જમ્બો કેક કટીંગ ઉત્સવ, મીસ્ત્રી નીતિનભાઇ ચાંદેગ્રાનું વિશેષ પ્રવચન તથા લાફટર થેરેપીના નિષ્ણાંત ઓશો સન્યાસી જીતેન્દ્ર ઠક્કરનો વિશેષ કાર્યક્રમ. કાર્યક્રમ બાદ રાત્રે ૮.૩૦ વાગ્યે મહાપ્રસાદ (હરિહર) નું આયોજન કરવામાં આવ્યું છે. શિબિરનું સંચાલન સ્વામિ સત્ય પ્રકાશ કરશે.

શિબિર સ્થળ : ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ડી-માર્ટની બાજુની શેરી, વૈદવાડી શેરીનં-૪ રાજકોટ.

વિશેષ માહિતી તથા એસએમએસ દ્વારા નામ નોંધાવવા માટે : સ્વામિ સત્ય પ્રકાશ : ૯૪૨૭૨ ૫૪૨૭૬ જયેષભાઇ કોટક : ૯૪૨૬૯ ૯૬૮૪૩)

(4:00 pm IST)