Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ત્રણ દિવસ પહેલા ગૂમ થયેલી નવાગામની ૧૪ વર્ષની શિલ્પાની તળાવમાંથી લાશ મળીઃઆપઘાત

કોળી પરિવારની બાળા દૂકાને જવાનું કહીને નીકળી ગઇ'તીઃ કારણ જાણવા પોલીસની મથામણ

રાજકોટ તા. ૧૬: નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતી શિલ્પા વાલજીભાઇ સરવૈયા (ઉ.૧૪) નામની કોળી બાળ ત્રણ દિવસ પહેલા ગૂમ થઇ ગઇ હતી. તેની ગત સાંજે ગામના તળાવમાંથી લાશ મળતાં અરેરાટી વ્યાપી ગઇ છે. તેણીએ આપઘાત કરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

જાણવા મળ્યા મુજબ રંગીલા સોસાયટીની બાળા શિલ્પા સરવૈયા ત્રણ દિવસ પહેલા ઘરેથી દૂકાને જવાનું કહીને નીકળ્યા બાદ ગૂમ થઇ ગઇ હોઇ પરિવારજનોએ પોલીસને જાણ કર્યા વગર ઘરમેળે જ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ગત સાંજે પાંચેક વાગ્યે તળાવમાં એક છોકરીની ફુલાઇ ગયેલી લાશ મળી આવતાં તપાસ થતાં આ લાશ ગૂમ થયેલી શિલ્પાની હોવાનું જણાતાં ગામના સરપંચ જગાભાઇએ પોલીસને જાણ કરી હતી. કુવાડવાના એએસઆઇ પીએસઆઇ  મોલીયા, ડી. કે. ડાંગર અને નિલેષભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. લાશ ફુલાઇ ગઇ હોઇ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બનાવ આપઘાતનો હોવાનું ખુલ્યું છે. જો કે કારણ બહાર ન આવતાં તપાસ યથાવત રખાઇ છે. મૃત્યુ પામનારના પિતાને કરિયાણાની દૂકાન છે. તેણી બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતી. (૧૪.૫)

(11:50 am IST)