Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

નવા લોકોને ભાજપ સાથે જોડો, બુથ દિઠ ઓછામાં ઓછા રપ સભ્યો ઉમેરો : કારોબારીમાં માર્ગદર્શન

સરકારની એકતા યાત્રામાં પાર્ટી જોડાશે : કારોબારીમાં વિવિધ ઠરાવો

રાજકોટ, તા. રર : ભાજપની પ્રદેશ કારોબારી બેઠક આજે સવારથી ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલ છે તે પૂર્વે ગઇકાલે પ્રદેશ હોદ્દેદારો અને જિલ્લા પ્રમુખો તથા પ્રભારીઓની બેઠકો મળેલ. જેમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરવામાં આવી હતી.

ગઇકાલે નક્કી થયેલા કાર્યક્રમોની જાહેરાત આજે પ્રદેશ કારોબારીમાં કરાશે. હાલ ૧પ થી ૩૦ સપ્ટેમ્બર સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. રાજય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ નિમિતે એકતા યાત્રા નીકળનાર છે તેમાં ભાજપ ઉત્સાહભેર ભાગ લેશે. દરેક શકિત કેન્દ્રો પર બેઠક યોજવાનું નક્કી થયું છે. બુથ દિઠ નવા ઓછામાં ઓછા રપ સભ્યોને જોડવા માટે જણાવાયું છે. નિવૃત થયેલા તેમજ રાજકારણથી અલિપ્ત રહેલા લોકોને પાર્ટી સાથે જોડવાની યોજના છે. દિવાળી સમયે દરેક લોકસભાક્ષેત્ર મુજબ સ્નેહ ીમલન થશે. આજની બેઠકમાં સરકારને અભિનંદન સહિતના ઠરાવો કરવામાં આવ્યા છે.

કારોબારીના માર્ગદર્શકોમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વગેરેનો સમાવેશ થાય છે.

(12:09 pm IST)