Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

રાજકોટની બાપા સીતારામ ગૌશાળામાં 20થી 30 ગાયોના કરૂણમોત : કોંગ્રેસના અગ્રણીઓની ધમાલ : પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ

રાજકોટ : ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ બાપા સીતારામ ગૌશાળામાં આજે સાંજે 20થી 30 ગાયોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળતા કોંગ્રેસના માલધારી અગ્રણીઓ રણજીત મુંધવા સહિતના અગ્રણીઓ સ્થળ પર પહોંચીને ગાયોના મોત અંગેનું સાચું કારણ જાણવા ગાયોના પીએમ કરાવવા સહિતની માંગણી કરી હતી અને તેઓ ખુદ યુનિવર્સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જઈ રહયાનું તેઓએ જણાવ્યું હતું

દરમિયાન ગાયોના મૃતદેહોનો તાત્કાલિક નિકાલ કરવા માટે મ્યુનિ,કોર્પોરેશને વાહનો ફાળવાતા આ મામલામાં તંત્ર વાહકો પણ સંડોવાયા હોવાનું રણજીત મુંધવાએ આક્ષેપ કર્યો હતો

(8:19 pm IST)