Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

હિરામનનગરમાં ખવાસ યુવાન રાજેશ મકવાણાનો ગળાફાંસો ખાઇ આપઘાત

પત્નિના મોત બાદ માતા-સંતાનો-ભાઇ સાથે રહેતો'તોઃ એકલવાયા જીવનથી કંટાળીને પગલું ભર્યુ

રાજકોટ તા. ૨૮: રૈયા રોડ હનુમાન મઢી પાછળ હિરામનનગર મેઇન રોડ પર  શિવ શકિત પ્રોવિઝન સ્ટોર પાસે રહેતાં રાજેશભાઇ ગોરધનભાઇ મકવાણા (ઉ.વ.૪૨) નામના ખવાસ યુવાને લોખંડના એંગલમાં ઓછાડ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

બનાની જાણ ૧૦૮ના ઇએમટી અલ્પાબેને પોલીસ કન્ટ્રોલ રૂમમાં કરતાં ઇન્ચાર્જ નિરંજનભાઇ જાનીએ ગાંધીગ્રામ પોલીસને વાકેફ કરતાં એએસઆઇ મેરામભાઇ ડાંગર, પરાક્રમસિંહ સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર રાજેશભાઇ બે ભાઇમાં નાનો હતો. તે સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. તે માતા, બે સંતાન અને મોટા ભાઇ સાથે રહેતો હતો. બંને ભાઇના પત્નિ હયાત નથી. રાજેશભાઇ એકલાવાયા જેવા જીવનથી કંટાળી જતાં આ પગલું ભરી લીધાની શકયતા છે.

(1:33 pm IST)