Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

રોગચાળાનો હાહાકારઃ તાવ-ઝાડા-ઉલ્ટી-ડેન્ગ્યુના ૮૦૦થી વધુ કેસ

વહેલી સવાર અને મોડી રાત્રીએ ઠંડી અને દિવસ દરમિયાન ગરમીથી બિમારીમાં સપડાતા લોકો : તંત્ર દ્વારા સપ્તાહમાં ૭૮૩૮ ઘરોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્છર ઉત્પતી સબબ ૧૬૧ને નોટીસઃ પછાત વિસ્તારોમાં આઠ મેડીકલ કેમ્પ યોજાયા

રાજકોટ, તા.,૨૭: શહેરમાં મીશ્ર વાતાવરણના કારણે રોગચાળો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે.

 મ્યુ. કોર્પોરેશનનાં ચોપડે છેલ્લા અઠવાડીયામાં ડેન્ગ્યુના ૬૬ કેસ ત્થા શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિતના ૮૦૦થી વધુ દર્દીઓ નોંધાયા છે.

મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મનપાની આરોગ્ય શાખામાં છેલ્લા અઠવાડીયામાં સામાન્ય - શરદી ,ઉધરસ તાવના કેસ૪૦૬, ઝાડા-ઉલ્ટીના ૩૬૭, ટાઇફોઇડ તાવના ૫, ડેન્ગ્યુના ૬૬ તથા મેલેરીયાના ૪, અન્ય તાવના કેસ ૨૪ સહિત કુલ ૮૦૦ થી વધુ કેસ નોંધાયા છે.

આ ઉપરાંત મ્યુ.કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરનાં પછાત વિસ્તારોમાં ૮ મોબાઇલ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૧૩૫૪ લોકોએ લાભ લીધો હતો.

૮ હજાર ઘરોમાં ફોગીગ

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મેલેરિયા વિભાગ દ્વારા ૨૪ હજાર ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. ૮હજાર ઘરોમાં ફોગીંગ કરાયું હોય. મચ્છર ઉત્પત્તી સબબ ૧૬૧ ને નોટીસ ફટકારવામાં આવી હતી.

૬૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

ખોરાકજન્ય રોગચાળો અટકાયત માટે એક સપ્તાહમાં ફૂડ શાખા દ્વારા ૮૩-રેકડી, ૩૬-દુકાન, ૨૦-હોટલ-રેસ્ટોરન્ટ, ૧૫-ડેરી ફાર્મ સહિત કુલ૧૮૨ ખાણી પીણીના ધંધાર્થીઓને ત્થા ચેકીંગ કરી ૬૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. ખાદ્ય પદાર્થોના નમુના લેવામાં આવ્યા હતા. ૫૯ ખાણીપીણીના ધંધાર્થીઓને નોટીસ ફટકારવામાં આવી છે.

(3:25 pm IST)