Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

રાજકોટ તાલુકા રાજપુત ક્ષત્રિય સમાજનું નાના મૌવામાં સ્નેહ મિલન

રાજકોટ : તાલુકા રાજપુત ક્ષત્રિય સમાજનું પાંચમું સ્નેહ મિલન નાનામૌવામાં પ્રવિણસિંહ જાડેજાની વાડી ખાતે યોજાયુ હતુ. આ પ્રસંગે પૃથ્વીસિંહ જાડેજા (ઘોઘુભા, ઘંટેશ્વર), તાલુકા સમાજના પ્રમુખ તા નરેન્દ્રસિંહ જાડેજા ઉપપ્રમુખ, જિલ્લા રાજપુત સમાજ, પ્રદીપસિંહ જાડેજા (એ.સી.પી. રાજકોટ પૂર્વ), રણજીતસિંહ જાડેજા કોઠારીયા સમાજ અગ્રણી, શકિતસિંહ જાડેજા (ભુમી ગ્રુપ ગોંડલ), શ્રીમતી માયાબા જાડેજા, અજીતસિંહ જાડેજા (ભુણાવા), પૃથ્વીસિંહ ઝાલા (રતનપર), રાજેન્દ્રસિંહ જાડેજા કારોબારી ચેરમેન ગોંડલ નગરપાલીકા, જયપાલસિંહ સરવૈયા લોધીકા રાજપુત સમાજના પ્રમુખ, દીગ્વીજયસિંહ જાડેજા પ્રમુખ ગોંડલ તાલુકા શહેર રાજપુત સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલ. તાલુકાના ૨૭ ગામોમાંથી યુવાનો, વડીલો, બહેનો ઉપસ્થિત રહેલ. મહેમાનોનું શાબ્દીક સ્વાગત યુવક મંડળના મંત્રી ઓમદેવસિંહ ઝાલા રતનપર દ્વારા કરાયુ હતુ. સંચાલન કીન્નરીબા હરદેવસિંહ જાડેજા (નાના મૌવા) એ કરેલ. અંતમાં આભારવિધિ યુવક મંડળના પ્રમુખ રામદેવસિંહ રણજીતસિંહ જાડેજા (નાના મૌવા) એ કરેલ.

(3:33 pm IST)