Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2017

સદ્દભાવ એ સમૃધ્ધ સમાજની આધારશીલા : સતપાલજી મહારાજ

રાજકોટ : માનવ ઉત્થાન સેવા સમિતિ, માનવ ધર્મ આશ્રમ કોઠારીયા રોડ ખાતે સદ્દભાવ સત્સંગ સમારોહ યોજવામાં આવેલ. જેમાં માનવ ધર્મના પ્રણેતા સદ્દગુરૂદેવ શ્રી સતપાલજી મહારાજે ઉપસ્થિત રહી ધર્મશાસ્ત્રોના આધારે મનુષ્ય જીવનનું મહત્વ સમજાવ્યુ હતુ. સમાજમાં ભાઇચારો અને સદ્દભાવ એક સુખી અને સમૃધ્ધ સમાજની આધારશીલા છે. હ્ય્દય પરીવર્તન સદ્દભાવનાના પ્રચાર પ્રસારનું પુનિત કાર્ય સમયના સદ્દગુરૂ દ્વારા જ શકય છે. માનવ ઉત્થાન સેવા સમિતિ દ્વારા સમય સમય પર પુરા વિશ્વમાં સદ્દભાવ સંમેલનનું કાર્ય અવિરત થઇ રહ્યુ છે. આત્મજ્ઞાન દ્વારા ભારત વિશ્વગુરૂ બને તે માટે આપણે પુરતા પ્રયત્નો કરવા જોઇએ તેમ શ્રી સત્તપાલજી મહારાજે જણાવ્યુ હતુ.

 

(4:48 pm IST)