Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2017

કાલાવડના માછરડામાં પવનચક્કી પાસેના થાંભલામાંથી ઇલે.તણખો પડતા આગ

 રાજકોટઃ કાલાવડના માછરડા ગામે રોડની બાજુમાં આવેલી પવનચકીના ઇલેકટ્રીક થાંભલામાંથી તણખો પડતા નીચે ગોચરની જમીનમાં પડેલા સુકા ઘાસના જથ્થામાં આગ લાગી હતી, ત્યાંથી પસાર થતા નિવૃત પી.એસ.આઇ પી.બી.ઝાલા જોઇ જતા તુરતંજ તેણે રાહદારીઓને બોલાવ્યા અને ગામના જીતેન્દ્રસિંહ, ધનુભા, નરેન્દ્રસિંહ, જીવુભા, સહિતના લોકો ઘટના સ્થળે પહોચી પોતાના વાહનમાંથી ખાલી બારદાન કાઢી આગ બુજાવી હતી. આગ સમયસર બુજાવી ન હોતતો આસપાસના જીવજંતુઓ  તથા ખેતરોમાં મોટું નુકસાન થવાની શકયતા હતી. ભીષણ આગને કાબુમાં લેતા મોટુ નુકશાન થતુ  અટકી ગયું હતું.

 

(5:23 pm IST)