Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

દિપાવલી પર્વમાં રાજકોટ માર્કેટયાર્ડ તા. ૩ થી ૮ છ દિવસ બંધ રહેશે

શાકભાજી વિભાગ-૫, બટેટા વિભાગ-૩, ડુંગળી વિભાગ-૫ તથા ઘાસચારા વિભાગ ૨ દિવસ બંધ રહેશે

રાજકોટ, તા. ૨૮ :. દિપોત્સવીના તહેવારો નિમિત્તે રાજકોટ માર્કેટયાર્ડમાં ખરીદ-વેચાણનું કામકાજ બંધ રાખવા યાર્ડના વેપારી મંડળો દ્વારા કરવામાં આવેલ માંગણી અન્વયે મુખ્ય માર્કેટયાર્ડ (બેડી) તા. ૩-૧૧થી ૮-૧૧ સુધી ૬ દિવસ કામકાજ બંધ રહેશે.

તેમજ શ્રી પોપટભાઈ સોરઠીયા સબયાર્ડમાં શાકભાજી વિભાગ તા. ૫-૧૧થી ૯-૧૧ પાંચ દિવસ, બટેટા વિભાગ તા. ૫-૧૧થી ૭-૧૧ ત્રણ દિવસ, ડુંગળી વિભાગ તા. ૪-૧૧થી ૮-૧૧ બે દિવસ તથા ઘાસચારા વિભાગ તા. ૫-૧૧થી ૬-૧૧ બે દિવસ બંધ રહેશે.

તા. ૨-૧૧ને મંગળવાર સવારના ૮ વાગ્યાથી તા. ૮-૧૧ને સોમવાર રાત્રીના ૧૦ વાગ્યા સુધી મુખ્ય માર્કેટયાર્ડ (બેડી)ની તમામ આવકો બંધ કરેલ હોય સદરહુ દિવસોમાં ખેડૂત ભાઈઓને માલ નહિ લાવવા અપીલ કરાઈ છે. તા. ૯-૧૧થી મુખ્ય માર્કેટયાર્ડ(બેડી)નુ કામકાજ રાબેતા મુજબ ચાલુ થઈ જશે તેમ યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીની યાદીમાં જણાવાયુ છે.

(3:18 pm IST)