Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

‘દાદા'સાથે સાહિત્‍ય સંગ્રહકાર કાંતિભાઈ વાડોલીયા

રાજકોટઃ જુના છાપાઓના કટીંગના શોખીન સાહિત્‍ય સંગ્રહકાર એવા શ્રી કાંતિભાઈ વાડોલીયાએ પણ સ્‍વ.મનોહરસિંહજી જાડેજા સાથે યાદગાર વાતો તાજી કરી હતી. તેઓએ જણાવેલ કે દાદા'ના ૭૬માં જન્‍મદિન પ્રસંગે અકિલા'એ આખુ પેઈજ બનાવેલું. આ ન્‍યુઝ પેપરના કટીંગ સાથે કાંતિભાઈએ દાદા'ની સહિ કરાવેલી. ત્રણેક વર્ષ પહેલા માંધાતાસિંહજી જાડેજાના પુત્ર જયદિપસિંહના લગ્નપ્રસંગે બનાવેલ ફોટા સાથેના ન્‍યુઝની નકલમાં પણ સહિ કરાવી હતી. તસ્‍વીરમાં સ્‍વ.મનોહરસિંહજી સાથે શ્રી કાંતિભાઈ વાડોલીયા (મો.૯૭૨૪૭ ૭૫૮૨૨)એ એક પ્રસંગમાં પડાવેલી યાદગાર તસ્‍વીર.

(4:36 pm IST)