Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

મનોહરસિંહજીની વિદાયથી ગુજરાતનું જાહેરજીવન રંક બન્યું: રાજુભાઈ ધ્રુવ

રાજકોટ,તા.૨૮: રાજકોટના પૂર્વરાજવી અને રાજયના પુર્વ નાણામંત્રી શ્રી મનોહરસિંહ જાડેજા-દાદાના દુઃખદ નિધનથી  ઉંડા શોકની લાગણી વ્યકત કરતા રાજુભાઇ ધ્રુવે શ્રદ્ઘાંજલિ આપતા જણાવ્યું હતું કે . દાદા રાજકોટની પ્રજાના હૃદયમાં વસતા પૂર્વ રાજવી તો હતાજ પરંતુ સાથોસાથ વિચક્ષણ રાજપુરૂષ પણ હતા. પ્રજાજનોના સુખ-દુઃખમાં  હંમેશા તેમની સાથે રહેનાર પૂજય દાદા ના મહેલ ના દરવાજા પ્રજાજનો માટે હંમેશા ખુલા રહેતા હતા.

ઉમદા વ્યકિતત્વ ધરાવતા દાદા   સરળ, નિખાલસ અને સ્પષ્ટવકતા હોવાની સાથે મૃદુભાષીતા સાથે ની સંસ્કારિતા  તેમની આગવી ઓળખ હતી. પ્રજાવત્સલ જાહેર જીવન ના મોભી ના  દુઃખદ નિધનથી રાજકોટની પ્રજાને એક ઉમદા રાજપુરૂષ ની ખોટ પડી છે જે પુરી શકાશે નહિં. તેમના અવસાનથી રાજકોટ -ગુજરાત નું જાહેર નિવન રંક બન્યું છે પૂજય દાદા ના  આત્માને પ્રભુ ચિરશાંતી-મોક્ષગતિ પ્રદાન કરે  એવી  તેવી પ્રાર્થના કરૃં છું અને તેઓશ્રી ના પરિવાર ને આવી પડેલ દુઃખ સહન કરવા ની પરમ કૃપાળુ પરમાત્મા શકિત આપે તેવી પ્રાર્થના.

(3:23 pm IST)