Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

મનોહરસિંહજીદાદા 'ચા'ના શોખીન...

 રાજકોટઃ સ્વ. મનોહરસિંહજી જાડેજા ચાના ખુબ શોખીન હતા. નાટકો અને સ્ટેજ શો જોવાનું પણ તેમને ખુબ ગમતું હતું. નાટકો જોવા માટે અમદાવાદ, મુંબઇ અવાર નવાર જતા હતા. પારિવારીક મિત્રો, કાર્યકરો, પ્રશંસકોના કોઇ પણ પ્રસંગોમાં દાદાની હાજરી અચુક રહેતી હતી. ઉપરોકત તસ્વીર પણ એક સંભારણારૂપ છે. અકિલાના પત્રકાર અને વ્યકિતગત રીતે દાદાની કાર્યપ્રણાલીના પ્રશંસક જયદેવસિંહ જાડેજાના ઘેર વર્ષો પુર્વે તેમના સગાઇ પ્રસંગે દાદાએ ભાવભેર હાજરી આપી હતી ત્યારે તેમના નિવાસસ્થાને ચાની ચુસ્કી લગાવતા દાદા સાથે જયદેવસિંહ જાડેજા, ભગીરથસિંહજી ગોહીલ અને નરેન્દ્રસિંહ જાડેજા (અકિલા) નજરે પડે છે.

(3:22 pm IST)