Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

સોૈરાષ્ટ્ર કલા કેન્દ્રના નિલકંઠ મહાદેવ મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

રાજકોટઃ જન્માષ્ટમીના તહેવારમાં સોૈરાષ્ટ્ર કલા કેન્દ્રમાં આવેલા શ્રી નિલકંઠ મહાદેવ મંઘ્રિમાં કૃષ્ણ જન્મોત્સવની અનેરી ઉજવણી થઇ હતી.  આઠમની રાતે બાર વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. કૃષ્ણ ભકિતના કિર્તન ગાઇને નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ઉજવણી કરી પંજરીની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસમાં વિવિધ દર્શનો પણ યોજવામાં આવ્યા હતાં. છેલ્લા સોમવારે બરફના દર્શન રાખવામાં આવ્યા હતાં.

(4:18 pm IST)