Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

જેટલીજી અને અકિલાઃ એક યાદગાર સંભારણું

રાજકોટ : પૂર્વ કેન્દ્રીયમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતા અરૂણ જેટલીજીનું તાજેતરમાંજ દુઃખદ અવશાન થયું છે. ત્યારે સ્વ. જેટલીજીની 'અકિલા' સાથેની આ સંભારણારૂપ તસ્વીરમાં તેઓ વીસવર્ષ અગાઉ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તે વખતે સરકીટ હાઉસ ખાતે 'અકિલા'ના પત્રકાર રણજીતસિંહ ચૌહાણે સ્વ. જેટલીજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  તેઓએ 'અકિલા' વાંચી અને 'અકિલા'માં આવતા દેશ-દુનિયા અને સૌરાષ્ટ્રના નાના-મોટા સમાચારો-લોકોની વ્યથાને વાચા આપવાની  'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા તથા શ્રી અજીતભાઇ ગણાત્રાની સરળ પધ્ધતીની સરાહના કરેલ હતી. આ ક્ષણને પત્રકાર  અને ભાજપના સન્નિષ્ઠ કાર્યકર સ્વ.રમણીકભાઇ પોપટે કેમેરામાં કેદ કરી હતી.

(4:17 pm IST)