Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

અરૂણ જેટલી સાથે રાજકોટના સુહાસ પંડ્યા

રાજકોટ : ભાજપના દિગ્ગજ નેતા અરૂણ જેટલીનું દુઃખદ નિધન થયુ છે. તેઓ ૩૦ માર્ચ ૨૦૦૦ના રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. તે સમયે રાજકોટના સ્વ.સુહાસ પંડ્યાએ સ્વ.જેટલીજી સાથે ફોટો પડાવવાની જીદ કરેલી. તસ્વીરમાં રાજયસભાના પૂર્વ સાંસદ લલીતભાઈ મહેતા, સ્વ.પ્રવિણભાઈ મણીઆર, ડો.વલ્લભભાઈ કથીરીયા, ગુણુભાઈ ડેલાવાળા અને રાજુ ધ્રુવ નજરે પડે છે. રમણભાઈ વાગડીયાએ આ તસ્વીર લીધી હતી અને સ્વ.સુહાસભાઈના ભાઈ ઉત્પલભાઈ આ તસ્વીર 'અકિલા' કાર્યાલયે આપી ગયેલ. 'અકિલા' પરિવારના લાડકા એવા સ્વ.સુહાસભાઈની અકિલા કાર્યાલયે નિયમીત હાજરી હોય જ. બહારગામ અને શહેરની આવૃતિ લઈને જ જતા. ભાજપનો કોઈપણ કાર્યક્રમ હોય તેઓ હંમેશા અગ્રીમ હરોળમાં જ બેસતા.  નરેન્દ્રભાઈ - વિજયભાઈ સહિતના આગેવાનો - કાર્યકરો તેઓને માન આપતા.

(4:10 pm IST)