Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

હલેન્ડામાં હીરાબેનનું મગજની બિમારીથી કંટાળી જઇ અગ્નિસ્નાન

મિસ્ત્રી વૃધ્ધા ગંભીર હાલતમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૮: સરધારના હલેન્ડામાં રહેતાં હીરાબેન પ્રાગજીભાઇ જોલાપરા (ઉ.૯૩) નામના મિસ્ત્રી વૃધ્ધાએ અગ્નિસ્નાન કરી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. હીરાબેનને સંતાનમાં બે પુત્રી અને પાંચ પુત્ર છે. પોતે રાજેશભાઇ નામના પુત્ર સાથે રહે છે. એકાદ વર્ષથી મગજની બિમારી લાગુ પડી હોઇ તેનાથી કંટાળીને આ પગલુ ભર્યાનું સ્વજનોએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(1:30 pm IST)