Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

ગાંધીગ્રામમાં 'તું પડોશી સાથે શું કામ ઝઘડે છે? કહી અસ્મીતાની ધોલધપાટ

સતવારા પરિણીતા કચરો ફેંકવા જતાં પડોશી ભરવાડ પરિવાર સાથે ચડભડ થતાં પતિ, સાસુ, સસરાએ ઘુસ્તાવતાં સારવારમાં

રાજકોટ તા. ૨૮: ગાંધીગ્રામ શાસ્ત્રીનગર-૧૫માં રહેતી અસ્મિતા હસમુખ ચોૈહાણ (ઉ.૨૩) નામની સતવારા પરિણીતાને પતિ હસમુખ, સાસુ અનસોયાબેન અને સસરા નારણભાઇએ ઢીકા-પાટુ અને લાકડીથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી.

અસ્મિતાના લગ્ન અઢી વર્ષ પહેલા થયા છે. તેના માવતર શાસ્ત્રીનગરમાં જ રહે છે. પતિ રૈયાધાર પાણીના ટાંકે હંગામી ધોરણે નોકરી કરે છે. અસ્મિતાના કહેવા મુજબ પોતે કચરો ફેંકવા ગઇ ત્યારે પડોશી ભરવાડ પરિવારે કચરો ફેંકવા બાબતે પોતાની સાથે ઝઘડો કર્યો હતો. આ લોકોને સમજાવવાને બદલે પતિ, સાસુ, સસરાએ તું જ પડોશીઓ સાથે માથાકુટ કરે છે...તેમ કહી મારકુટ કરી હતી.

(1:27 pm IST)