Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

જંકશન રેલ્વે સ્ટેશન સામે ફૂટપાથ પરથી ભિક્ષુક પ્રોૈઢની લાશ મળી

વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૮: જંકશન રેલ્વે સ્ટેશન સામે ભાટીયા બોર્ડિંગની સામે ફૂટપાથ પરથી અજાણ્યા આશરે ૫૫ વર્ષના ભિક્ષુકની લાશ મળતાં ૧૦૮ના ઇએમટી ગઢવીભાઇએ જાણ કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ ઝાલાએ પ્ર.નગરમાં જાણ કરતાં હેડકોન્સ. વાલજીભાઇ નિનામાએ એડી નોંધી કાર્યવાહી કરી હતી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર કરવા જણાવાયું છે.

(1:25 pm IST)