Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

ના ગીન કે દેતા હૈ, ના તોલ કે દેતા હૈ, કાશી વિશ્વનાથ જીસ કો ભી દેતા હૈ, દિલ ખોલ કે દેતા હૈ...

કાશી વિશ્વનાથ ભીલ ધુન મંડળના ૭૩માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે શુક્રવારે સંતવાણી

ભીલવાડામાં બિરાજતા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે મહાપૂજા - મહાઆરતી - મહાપ્રસાદઃ ભગવતીબેન ગોસ્વામી અને દેવદાન ગઢવી જમાવટ કરશે

રાજકોટ તા. ર૮ :.. અહીંના સુપ્રસિધ્ધ શ્રી કાશી વિશ્વનાથ ભીલ ધુન મંડળના ૭૩માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુપ્રસિધ્ધ કલાકારોના સંગાથે સંતવાણી સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભગવાન ભોળાનાથના ભજનો પીરસવામાં આવશે.

શહેરના ૩-ભીલવાસ, ફુલછાબ પ્રેસ (ચોક) પાસે આવેલ વર્ષો પુરાણું શ્રી કાશી વિશ્વનાથ મહાવેદ મંદિરે આગામી તા. ૩૦ ના શુક્રવારે શ્રાવણ સુદ અમાસના શુભ દિને બપોરે ૧ર વાગે મહાપ્રસાદ યોજાશે. બાદ રાત્રીના ૯.૩૦ વાગ્યાથી સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં સંતવાણીના આરાધ્યક શ્રી ભગવતીબેન ગોસ્વામી અને સાહિત્યકાર શ્રી દેવદાન ગઢવી લોકસાહિત્યરસ સાથે સંતવણીની જમાવટ કરશે.

શ્રી કાશી વિશ્વનાથ ભીલ ધુન મંડળના ૭૩માં વર્ષમાં મંગલ પ્રસંગે નિજ મંદિરમાં સવારે ૪.૩૦ વાગે મહાપૂજા, બપોરે ૧ર વાગે મહાઆરતી, ૧ર.૩૦થી ૩ વાગ્યા સુધી મહાપ્રસાદ બાદ રાત્રીના ૯.૩૦ વાગ્યાથી સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.

શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરનાં મહંત શ્રી અમૃતગીરીબાપુ ગોસાઇ અને મહંત શ્રી ધર્મેશગીરીબાપુ ગોસાઇના અધ્પાક્ષસ્થાને આયોજીત આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યકારી સભ્યો સર્વશ્રી મીહીરભાઇ મે. શ્રી હસુભાઇ મે, વિનોદભાઇ મુલીયાણા, કાંતીભાઇ પી. મુલીયાણા, જાદવભાઇ મે., રાજુભાઇ વાઘેલા, રાજુભાઇ વાગડીયા, કાંતીભાઇ એચ. મુલીયાણા, મહેશભાઇ વાગડીયા, ઇશ્વરભાઇ મે., નરેશભાઇ કોલી, તથા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(1:24 pm IST)