Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

પરા પીપળીયામાં ઘરના વાડામાં આહિર યુવાન મુકેશનો ગળાફાંસો ખાઇ આપઘાત

માસુમ પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું: બે-ત્રણ દિવસથી મગજ ભમતો હોવાનું સ્વજનોનું કથન

રાજકોટ તા. ૨૮: જામનગર રોડ પર પરાપીપળીયામાં રહેતાં આહિર યુવાને ગળાફાંસો ખાઇ જિંદગીનો અંત આણી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

પરાપીપળીયામાં રહેતાં મુકેશ લક્ષમણભાઇ મૈયડ (ઉ.૩૦) નામના યુવાને સવારે ઘરના વાડામાં આડીમાં દોરી બાંધી દેહ લટકાવી દેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર મુકેશ છુટક મજૂરી કરતો હતો. તે પાંચ બહેન અને ચાર ભાઇમાં નાનો હતો. તેને સંતાનમાં ચાર વર્ષનો એક પુત્ર છે. પરિવારજનોના કહેવા મુજબ મુકેશનો મગજ બે-ત્રણ દિવસથી ભમતો હતો. સવારે પરિવારજનો જાગ્યા ત્યારે મુકેશ રૂમમાં જોવા ન મળતાં તપાસ કરતાં ઘરના વાડામાં તેણે ગળાફાંસો ખાઇ લીધાની જાણ થતાં તાકીદે નીચે ઉતારી હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ ત્યારે મોડુ થઇ ગયું હતું.  માસુમ પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતાં  મૈયડ પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.

(11:38 am IST)