Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

કાલે ધો. ૧૦-૧૨ ના રઘુવંશી સમાજના ૩૦૦ તારલાઓને ફૂલડે વધાવાશે : મેડલથી નવાજાશે

લોહાણા યુવક પ્રગતિ મંડળ-રાજકોટ દ્વારા ૫૭ મો પ્રતિભા સન્માન સમારોહઃ ૧૫ મેડલો, ૧૬ વિશેષ પારિતોષીકો અપાશે : ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ : હાજર રહેનાર તમામને બીએસએનએલનું સિમકાર્ડ ફ્રી અપાશે, આધારકાર્ડ લાવવું જરૂરી

રાજકોટ, તા. ૨૮ : સતત ૧૯૫૫ની સાલથી રઘુવંશી સમાજ માટે અનેકવિધ પ્રવૃતિ કરતી સંસ્થા શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા આવતીકાલે તા.૨૯ના રવિવારે સવારે ૯:૩૦ કલાકે શ્રી અરવિંદભાઈ મણીયાર હોલ (જ્યુબીલી બાગ ગાર્ડન - રાજકોટ) ખાતે ૫૭માં પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ધો.૧૦ તથા ધો.૧૨માં ૬૫%થી વધુ માર્કસ મેળવનાર તમામ રઘુવંશી વિદ્યાર્થી ભાઈઓ - બહેનોનું શિલ્ડ - સર્ટીફીકેટ દ્વારા સન્માન કરવામાં આવશે.

ધો. ૧૦ તથા ધો.૧૨માં બોર્ડમાં તથા જ્ઞાતિમાં પ્રથમ કે ઉચ્ચ ગુણાંક મેળવનાર વિદ્યાર્થીને મેરીટ મુજબ ગોલ્ડ મેડલ્સ તથા સિલ્વર મેડલ્સ તથા કેશ એવોર્ડઝ આપવામાં આવશે. ૧૫ જેટલા મેટલો એનાયત થશે. ૧૬ જેટલા વિશિષ્ટ પારિતોષિકો મળી કુલ ૩૦૦ જેટલા રઘુવંશી વિદ્યાર્થી ભાઈઓ - બહેનોનું વિશેષ બહુમાન સાથે આકર્ષક કેરી બેગ  આપવામાં આવશે. કાર્યક્રમમાં ઉપસ્થિત  રહેનાર તમામ વિદ્યાર્થી ભાઈઓ - બહેનો - વાલીઓને - આધારકાર્ડની કોપી પર સંસ્થા દ્વારા વિનામૂલ્યે આકર્ષક ભેટ આપવામાં આવશે.

૫૭મા પ્રતિભા સન્માન સમારોહમાં શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી (કાર્યકારી પ્રમુખ, લોહાણા મહાજન), અતિથિ વિશેષ તરીકે નવીનભાઈ ઠક્કર (ઉપપ્રમુખ - રાજકોટ કેળવણી મંડળ), ચેતન બી. ગણાત્રા (ડે.મ્યુનિસિપલ કમિશ્નરશ્રી રાજકોટ), ચેતનભાઈ કે. નંદાણી (ડે.મ્યુનિસિપલ કમિશ્નરશ્રી - રાજકોટ), મનોજભાઈ અનડકટ (પૂર્વ ચેરમેન ધી બાર કાઉન્સીલ ઓફ ગુજરાત), કેતનભાઈ બારાઈ (ડીવી. મેનેજર એલઆઈસી), જયંતિભાઈ મહેતા (ગુજરાત ફર્નીચર), મનુભાઈ મહેતા (તનિષ્ક જવેલર્સ), ડો. એચ. વી. ઠક્કર, ડો. સુનિલભાઈ પોપટ (નિધિ હોસ્પિટલ - અમદાવાદ), જીમ્મીભાઈ દક્ષીણી, નરેન્દ્રભાઈ નથવાણી, માલિનીબેન ડૈયા (એકાઉન્ટ્સસ ઓફીસર બીએસએનએલ), ભરતભાઈ દ્રોણ (દાતા પરીવાર) જનકભાઈ કોટક, રમેશભાઈ ધામેચા, રાજુભાઈ પોબારૂ, રૂપલબેન રાજદેવ, મિતલભાઈ ખેતાણી, યોગેશભાઈ પૂજારા, રીટાબેન કોટક, ડો.પરાગભાઈ દેવાણી, ધવલભાઈ ખખ્ખર, સંજયભાઈ કક્કડ, સુરેશભાઈ કાથરાણી ઉપસ્થિત રહેશે.

આયોજનને સફળ બનાવવા શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ - રાજકોટના સર્વે હોદ્દેદારો યોગેશભાઈ જસાણી, ડો.નીતીનભાઈ રાડીયા, હિતેશભાઈ પોપટ, પ્રકાશભાઈ સુચક, પરેશભાઈ તન્ના, કન્વીનરો રાજેશભાઈ અઢીયા, પ્રદિપભાઈ ભાગ્યોદય તથા મનસુખભાઈ કોટેચા, અલ્પેશભાઈ માનસાતા, જીમ્મીભાઈ દક્ષીણી, અજયભાઈ ઠકરાર, અશોકભાઈ હિન્ડોચા, સંજયભાઈ કક્કડ, પ્રકાશભાઈ ઠક્કર, ભુપેન્દ્રભાઈ કોટક, પાર્થ જસાણી જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં સંસ્થાના પ્રમુખ યોગેશભાઇ જસાણી (મો. ૯૪૨૬૨ ૧૬૭૯૪), ઉપપ્રમુખ હિતેષભાઇ પોપટ (મો. ૯૩૭૫૭ ૩૨૦૩૨), માનદમંત્રીઓ પ્રકાશભાઇ સુચક (મો. ૯૯૨૫૨ ૦૬૩૫૩), પરેશભાઇ તન્ના (મો. ૯૮૨૪૦ ૧૦૭૮૮), સહમંત્રીઓ મનસુખભાઇ કોટેચા, અલ્પેશભાઇ માનસેતા, અજયકુમાર ઠકરાર, ભુપેન્દ્રભાઇ કોટક, પાર્થ જસાણી, અશોકભાઇ હિન્ડોચા, સંજયભાઇ ક્કકડ, પ્રકાશભાઇ ઠક્કર અને રાજેશભાઇ અઢીયા નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)(૩૭.૧૦)

(4:06 pm IST)