Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

જીવ બચાવવા જતા જીવ ગુમાવનારના પરિવારને ધનરાશી અર્પણ

રાજકોટ : થોડા દિવસ પૂર્વે ગુજરાતના અરવલ્લી જિલ્લાના માલપુર ગામમાં જીવદયા પ્રેમી દીલીપભાઇ ગલબાભાઇ વિજળી તારમાં ફસાયેલા એક પક્ષીને બચાવવા થાંભલે ચડયા હતા. એ દરમિયાન શોર્ટસર્કીટ થતા તેમનું મૃત્યુ થયુ હતુ. દેવીપૂજક દીલીપભાઇનો પરિવાર મજુરી કામ કરીને ગુજરાત ચલાવતો હતો. પરિવારમાં પત્નિ રેખાબેન, એક દિકરી અને બે દિકરા છે. આ કરૂણ બનાવ ધ્યાને આવતા પૂ. નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી અર્હમ સેવા ગ્રુપ દ્વારા રૂ. ર લાખ, સમસ્ત મહાજન તરફથી રૂ.૧ લાખ, હિંસા વિરોધ સંઘ તરફથી  ૨૧ હજાર, એડવોકેટ શ્રી ઓઝા તરફથી રૂ.૧૫૦૦ મળી કુલ રૂ.૩.૩૬ લાખની ધનરાશી અર્પણ કરવામાં આવી હતી. કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીણાજીએ મૃતકના પરિવાર તેમજ શુભચિંતકો સાથે સંવાદ કર્યો હતો અને સરકાર તરફથી પણ બનતી મદદ કરવા જણાવ્યુ હતુ.

(3:48 pm IST)