ઉપરની તસ્વીરમાં 'અકિલા'ના શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સયાજી હોટલ-વીએચવી ગ્રુપના શ્રી રાજદિપસિંહ જાડેજા સાથે યશપાલસિંહ જાડેજા અને નીચેની તસ્વીરમાં પત્રકાર પરિષદ પ્રસંગે સયાજી હોટલના દિગ્વીજયસિંહ જાડેજા, રાજદિપસિંહ જાડેજા, હર્ષવર્ધનસિંહ,વિકર્ણરાજ, દિવ્યરાજ અને જનરલ મેનેજર કાર્તિક દર્શાય છ.(તસ્વીર સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ર૮ :.. સૌરાષ્ટ્રમાં ફાઇવ સ્ટાર કલ્ચરની અનોખી અનુભૂતિ કરવા તૈયાર રહેજો. સોમવારથી સયાજી ફાઇવ સ્ટાર હોટલનો મંગલારંભ થઇ રહ્યો છે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં હોટલના જનરલ મેનેજર કાર્તિકજી તથા ઓનર્સ દિગ્વીજયસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજાએ રસપ્રદ માહિતી આપી હતી.
દેશમાં ઝડપથી વિકસતા ટોચના દસ શહેરોમાં જેનું સ્થાન છે એ રાજકોટ શહેર એઇમ્સ અને ઇન્ટરનેશનલ સુવિધાઓના પ્રોજેકટ બાદ વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે ત્યારે દેશના ટોચના મહાનગરોમાં હોય તેવી ફાઇવ સ્ટાર પ્રીમીયમ હોટલ અને વર્લ્ડ કલાસ ફુડ પ્લેઝર રેસ્ટોરન્ટનું હોવુ પણ એટલું જ જરૂરી છે. આ બીડુ રાજકોટના ખ્યાતનામ બિલ્ડર ગ્રુપ વીએચપીએ દેશની નંબર વન હોટલ ચેઇન સયાજી ગ્રુપ સાથે મળીને ઉઠાવ્યું છે. આગામી ૧ જૂલાઇ સોમવારના રોજ કાલાવડ રોડ ઉપર ક્રિસ્ટલ પાસે પ્રદ્યુમન ગ્રીનસીટી ટાવર નજીક આલિશાન સયાજી હોટલનો પ્રારંભ થઇ રહ્યો છે.
વીએચવી ગ્રુપના માલિક દિગ્વીજયસિંહ એન. જાડેજા અને રાજદીપસિંહ એન. જાડેજાએ સયાજી હોટલ અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપતાં જણાવ્યું હતું કે બિલ્ડર અને ડેવલપર તરીકે છેલ્લા ત્રણ દાયકામાં રાજકોટને માઇલસ્ટોન કહી શકાય એવા લકઝૂરિયસ લાઇફ સ્ટાઇલના રેસીડેન્સીયલ પ્રોજેકટની ભેટ વીએચવી ગ્રુપે આપ્યા બાદ આ શહેરના રોકેટ ઝડપે થતાં વિકાસની નેશનલ ઇન્ટરનેશનલ લેવલના મહેમાનોની જરૂરીયાતોને ધ્યાને રાખીને ડાઇવર્સિફીકેશનના ભાગરૂપે અમોએ હોસ્પિટાલીટી અને ફુડ બિઝનેશમાં પ્રવેશ કર્યો છે. વીએચવી ગ્રુપની પ્રણાલી મુજબ શ્રેષ્ઠથી ઓછુ કશું જ નહીં એ મુલ્ય અહીં પણ જાળવી રાખી દેશભરમાં હોસ્પિટાલીટી અને રેસ્ટોરન્ટ બિઝનેશમાં નંબર વન ગણાતા સયાજી ગ્રુપ સાથે સ્ટ્રેટેજીક જોડાણ કરી રાજકોટના આંંગણે સયાજી હોટલનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.
આ હોટલની વિશિષ્ઠતા માત્ર શબ્દોમાં વર્ણવી શકાય એવી નથી એ અનુભૂતિનો વિષય છે. પરંતુ ઝલક જોઇએ તો રાજકોટની આ પ્રીમીયમ ફાઇવ સ્ટાર બ્રાન્ડ હોટલ હશે કે જેમાં મોડર્ન થીમ અને હેરિટેજ થીમ સાથે છે. સયાજી દેશની પ્રીમીયમ હોસ્પિટલીટી બ્રાન્ડ છે તેથી આ હોટલમાં મહેમાન બનનાર વ્યકિતને શ્રેષ્ઠ હોસ્પિટાલીટી અને ફુડ પ્લેઝર મળશે. 'મૂન ટ્રી' ર૪ કલાકનું કાફે હશે. બેંકવેટ હોલમાં પણ અનેક વિકલ્પો સયાજીની વિશેષતા છે. જેમાં પ૦૦ વ્યકિત માટેનો 'મહેલ' બેંકવેટ હોલ, પ૦૦ વ્યકિત માટે 'સેફાયર' બેંકવેટ હોલ ૧પ૦ વ્યકિત માટે ટોપાઝ બેંકવેટ હોલની ખાસ સુવિધા છે. જયારે પારિવારીક પાર્ટી ફંકશન માટે માત્ર પ૦ વ્યકિતઓના ઇન સર્કલ ફંકશન માટે એમરાલ્ડ બેંકવેટ અને પ૦ માણસો માટે પર્લ બેંકવેટ હોલની સુવિધા પણ મળશે.
વેડીંગ અને અન્ય ફંકશન માટે પાર્ટી લોન્સ પણ સયાજીમાં ઉપલબ્ધ છે. એક સાથે ૧પ૦૦ વ્યકિતની ક્ષમતા ધરાવતો વૃંદાવન પાર્ટી લોન્સ પ્રસંગોને ચાર ચાંદ લગાડી દેશે.
રાજકોટમાં આવતા કોર્પોરેટ, બિઝનેશ કલાસ અને ખાસ ગેસ્ટ માટે આતિથ્યનું નવુ સરનામુ હવે સયાજી હોટલ બનશે. કારણ કે પ્રીમીયમ કલાસ ફાઇવ સ્ટાર સયાજી હોટલમાં કુલ ૭૮ રૂમ જેમા સ્યુટ, પ્રીમીયમ ગ્રાન્ડ રૂમ, ગ્રાન્ડ રૂમ, અને પ્રેસીડેન્સીયલ સ્યુટનો પણ સમાવેશ થાય છે. એ જ પ્રમાણે સ્પા., જીમ અને સ્વીમીંગ પુલની ફાઇવ સ્ટાર સુવિધા પણ સયાજી ઉપલબ્ધ હશે.
અંતમાં વીએચવી ગ્રુપના માલિક દિગ્વીજયસિંહ અને રાજદીપસિંહે જણાવ્યું હતું કે સયાજી હવે રાજકોટના આતિથ્યનું એક ફેવરીટ સરનામુ બની રહેશે.
ગુજરાત મિનિ યુએસએ : કાર્તિક
જનરલ મેનેજર કહે છે, સયાજી ગ્રુપ અનોખો અનુભવ કરાવશે
રાજકોટ, તા. ર૮ : સયાજી ફાઇવ સ્ટાર હોટલના જનરલ મેનેજર કાર્તિકજી કહે છે કે, ફાઇવ સ્ટાર કલ્ચરનો અનોખો અનુભવ સયાજી કરાવશે. કાર્તિકજી મૂળ ચેન્નાઇના છે. તેઓ કહે છે કે, હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યા બાદ હું સયાજી ગ્રુપમાં જોડાયો હતો. રપ વર્ષની વયથી આ ગ્રુપમાં જોડાયેલો, જનરલ મેનેજર સુધીની સફળ આ ગ્રુપમાં કરી છે.
ગુજરાત અંગે કાર્તિક કહે છે કે, ગુજરાત મિનિ યુએસએ જેવું છે. વિકાસની અપાર શકયતાઓ રહેલી છે.
મેરેજ પ્રસંગે રપ૦ આઇટેમનું મેનું !
રાજકોટ, તા. ર૮ : દેશભરમાં હોસ્પિટાલિટી બિઝનેશમાં વિશાળ નેટવર્ક ધરાવતી અને ખ્યાતનામ સયાજી હોટલ ખૂબ જ લોકચાહના પામી છે. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વીએચવી ગ્રુપ સયાજી હોટલ લાવવાનું સપનું સાકાર કરી શકયું છે. રાજકોટવાસીઓ હવે વટથી કહી શકશે કે ટોપ કલાસ સયાજી હોટલ રાજકોટમાં પણ છે.
સયાજીગ્રુપ હોસ્પિટાલિટી અને ફુડ બિઝનેશમાં દેશની ટોચની બ્રાન્ડમાંથી એક છે. સયાજીની તમામ રેસ્ટોરન્ટ અને બેંકવેટ તેની અવનવી વાનગીઓના સ્વાદ માટે લોકોના દીલમાં વસી ગઇ છે. સયાજીનું મેરેજ ફંકશનનું મેનું રપ૦ આઇટેમની વેરાઇટી ધરાવે છે. રોયલ મેરેજ માટે દેશના મેટ્રો શહેરોમાં સેલિબ્રિટી સયાજી ઉપર પસંદગી ઢોળે છે. રાજકોટ સયાજીનું ખ્યાતનામ ફુડ સ્વાદપ્રેમીઓના દીલ જીતી લેશે.