Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

બે અજાણ્યા મૃતક વિશે કોઇને માહિતી હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

જામનગર રોડ પર અને સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં મૃત્યુ થયા'તા

રાજકોટઃ શહેરની સિવિલ હોસ્પિટલ અંદર બાળકોના દવાખાના સામેથી આશરે ૬૦ વર્ષના વૃધ્ધ તા. ૧૧/૬/૧૯ના રોજ બેભાન મળી આવતાં સામાજીક કાર્યકર રમણિકભાઇ પરમારે ઇમર્જન્સી વોર્ડમાં પહોંચાડ્યા હતાં. પરંતુ તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં. હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમારે જાણ કરતાં પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતરે જરૂરી કાર્યવાહી કરી હતી.

આ રીતે અન્ય બનાવમાં તા. ૩૦/૫/૧૯ના રોજ જામનગર રોડ સાંઢીયા પુલ પાસે ૩૫ થી ૪૦ વર્ષના એક અજાણ્યા પુરૂષ મૃત હાલતમાં મળ્યાની જાણ ૧૦૮ ઇએમટી દિનેશભાઇએ કરતાં પોલીસ કન્ટ્રોલ રૂમ દ્વારા પ્ર.નગરમાં જાણ થતાં એએસઆઇ હરેશભાઇ રત્નોતરે એડી નોંધી કાર્યવાહી કરી હતી. તસ્વીરમાં દેખાતાં બંને મૃતકના કોઇ સગા-પરિચિત-વાલીવારસ હોય કે તેના વિશે કોઇને માહિતી હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(1:24 pm IST)