Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

આનંદનગરમાં વૃધ્‍ધ કાંતિલાલ સેજપાલે શ્વાસની બિમારીથી કંટાળીને જીવ દીધો

રાજકોટ તા. ૨૮: કોઠારીયા રોડ પર આનંદનગર કોલોની બી-૫માં રહેતાં લોહાણા વૃધ્‍ધ કાંતિલાલ કેશવલાલ સેજપાલ (ઉ.૭૮)એ એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

કાંતિલાલ સેજપાલે રાત્રે એસિડ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના એએસઆઇ હરેશભાઇ રત્‍નોતર અને શક્‍તિસિંહ ગોહિલે ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર વૃધ્‍ધ પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં  એક પુત્ર અને ત્રણ પુત્રી છે. વર્ષોથી શ્વાસની બિમારી હોઇ કંટાળીને આ પગલું ભર્યાનું તેમના પરિવારજનોએ કહ્યું હતું.

(11:20 am IST)