Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

શાસ્ત્રીનગરમાં વરસાદી પાણીના નિકાલ માટે નાલાનું કામ શરૂ

અહીંના વોર્ડ નં ૩ ના ગુરૂદ્વારા પાછળ શાસ્ત્રીનગર ખાતે વરસાદી પાણીના નિકાલ માટે નાલુ બનાવવાના કામનો પ્રારંભ થતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે. શહેર ભાજપ  વોર્ડ પ્રમુખ હેમુભાઇ પરમાર અને તેમની ટીમ દ્વારા વિકાસ કાર્યોને વેગ આપવા આ નાલાનું કામ રૂ. ૨૪ લાખના ખર્ચે મંજુર કરાવવામાં આવ્યુ છે. તસ્વીરમાં નાલુ બનાવવા ચાલી રહેલ કામગીરી નજરે પડે છે.

(3:57 pm IST)