Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

માતા સાથે તકરાર થતાં કોળી યુવતિ શોભનાનો આપઘાત

ચોટીલા રાજપરાની યુવતિનું રાજકોટમાં મોત

રાજકોટ તા. ૨૮: ચોટીલાના રાજપરામાં રહેતી શોભના દેવરાજભાઇ ચાવડા (ઉ.૨૨) નામની કોળી યુવતિએ સવારે ઝેર પી લેતાં કુવાડવા હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને અક્ષય ડાંગરે ચોટીલા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર શોભનાના પિતા હયાત નથી. તે બે ભાઇની એકની એક બહેન હતી. માતા પુનીબેન સાથે તકરાર થતાં માઠુ લાગી જતાં તેણીએ આ પગલું ભર્યાનું બહાર આવ્યું હતું.

(3:51 pm IST)